Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયા કપ 2023 IND Vs SL : ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવ્યું, ભારતે કર્યો ફાઇનલમાં પ્રવેશ

એશિયા કપ 2023 IND Vs SL : ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવ્યું, ભારતે કર્યો ફાઇનલમાં પ્રવેશ
X

એશિયા કપના સુપર-4માં આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થયો હતો. ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવ્યું હતું. 214 રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દુનિથ વેલાલેગાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તે 42 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ધનજંય ડી સિલ્વાએ 41, અસલંકાએ 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે 43 રનમાં 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 33 2નમાં 2 વિકેટ, જસપ્રીત બુમરાહે 30 રનમાં 2 વિકેટ, મોહમ્મદ સિરાજે 17 રનમાં 1 વિકેટ તથા હાર્દિક પંડ્યાએ 14 રનમાં 1 વિકેટ ઝડપી હતી. આ મેચમાં હાર સાથે જ શ્રીલંકાની વનડેમાં સતત 13 મેચોની જીતનો સિલસિલો પણ તૂટી ગયો હતો.

પ્રથમ બેટિંગ કરતાં ભારતની ટીમ 49.1 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 53 રન બનાવ્યા હતા. તેણે ગિલ (19) સાથે મળી પ્રથમ વિકેટ માટે 81 રનની પાર્ટનરશિપ કરી હતી. વિરાટ કોહલી 3 રન, ઈશાન કિશન 33 રન, કેએલ રાહુલ 39 અને અક્ષર પટેલ 26 રન બનાવી આઉટ થયા હતા. દુનિથ વેલાલેગાએ 40 રનમાં 5 અને અસલંકાએ 18 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મહેશ તીક્ષ્ણાએ 41 રનમાં 1 વિકેટ લીધી હતી. આમ ભારતની તમામ 10 વિકેટ સ્પિનર્સે ઝડપી હતી. એશિયા કપમાં ભારતની તમામ 10 વિકેટ સ્પિનર્સે ઝડપી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

Next Story