Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આજે વન-ડે વર્લ્ડ કપનું શિડ્યૂલ કરશે જાહેર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આજે વન-ડે વર્લ્ડ કપનું શિડ્યૂલ કરશે જાહેર
X

આજનો દિવસ (27 જૂન) ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આજે જ વન-ડે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પાસે તેની મેચો તટસ્થ સ્થળો પર કરાવવાની માંગ કરી હતી. જે માંગણીને આઇસીસીએ ફગાવી દીધી હતી.

પરંતુ આ પછી પીસીબીએ બીજી અડચણ ઊભી કરી હતી કે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા સામે તેની મેચ રમવા માંગતું નથી. ઉપરાંત, તેની બીજી માંગ એ હતી કે તે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચના સ્થળ બદલવા માંગે છે પરંતુ ICC અને BCCIએ પાકિસ્તાનની આ બંન્ને માંગણીઓ પણ સ્વીકારી ન હતી.

આમ છતાં આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC અને BCCIની વાત સ્વીકારવી પડી છે. અહેવાલો અનુસાર, PCBની સહમતિ સાથે હવે વર્લ્ડ કપ શિડ્યુલ જાહેર કરવાની તમામ અડચણો દૂર થઇ ગઇ છે. BCCI મંગળવારે જ મુંબઈમાં ઔપચારિક બેઠક કરશે અને તે પછી લગભગ 11:30 વાગ્યે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરશે.

Next Story