/connect-gujarat/media/post_banners/096b47c6590b5629339ddf07e0b29b62131f4db7f14dda4e3efdfb1ff67f3e9f.webp)
હનુમા વિહારીએ ખુલાસો કર્યો છે કે તે આંધ્રપ્રદેશ માટે ફરીથી નહીં રમે. વિહારીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક ખેલાડી સાથેના વિવાદ બાદ તેને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું, જેના પિતા રાજકારણી હતા અને તેણે આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનને ફરિયાદ કરી હતી.30 વર્ષીય બેટર્સે એસોસિયેશનના પ્રમુખને લખેલ એક પત્ર પણ શેર કર્યો હતો,
જેમાં તેના સાથી ખેલાડીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો, જેમાં તેને તેના સાથી ખેલાડીઓ તરફથી મળેલ સમર્થન દર્શાવવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે વિહારીએ ખેલાડી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો નથી. અમે તેને કેપ્ટન તરીકે જોવા માગતા હતા. અમે માગ કરીએ છીએ કે વિહારીને કેપ્ટન બનાવવામાં આવે.વિહારીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, દુઃખની વાત એ છે કે એસોસિયેશન માને છે કે તેઓ જે કહે છે તે ખેલાડીઓએ સાંભળવું પડે છે અને ખેલાડીઓ તેમના કારણે ત્યાં છે. મેં નક્કી કર્યું છે કે હું આંધ્ર માટે ક્યારેય નહીં રમું જ્યાં મેં મારું આત્મસન્માન ગુમાવ્યું છે.
તેણે આગળ લખ્યું, હું ટીમને પ્રેમ કરું છું. મને ગમે છે કે અમે દરેક સિઝનમાં જે રીતે આગળ વધી રહ્યા હતા, પરંતુ એસોસિયેશન ઇચ્છતું નથી કે અમે પ્રગતિ કરીએ.