IND vs SL, 2nd T20 : બીજી ટી20માં શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને 16 રનથી હરાવ્યું

New Update
IND vs SL, 2nd T20 : બીજી ટી20માં શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને 16 રનથી હરાવ્યું

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પુણેની બીજી ટી20માં ભારતીયી ટીમને 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. અંતિમ ઓવરમા ભારતીય ટીમને 21 રનની જરૂર હતી, પરંતુ 5 રન જ બનાવી શકી અને મેચમાં 5 રનોથી હાર થઇ હતી, આ સાથે જ શ્રીલંકન ટીમે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે, આ પહેલા પ્રથમ ટી20માં ભારતીય ટીમની જીત થઇ હતી, હવે બન્ને ટીમો વચ્ચે આગામી 7મી જાન્યુઆરીએ નિર્ણાયક અને ફાઇનલ મેચ રમાશે.

Advertisment

એકદમ રોમાંચક મેચમાં શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવી દીધુ છે. 207 રનોના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 20 ઓવરોમાં 8 વિકેટના નુકસાને 190 રન જ બનાવી શકી, આની સાથે જ સીરીઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. જોકે, એકસમયે મેચમાં આવી સ્થિતિ આવી ગઇ હતી કે ભારતીય ટીમની હાર નક્કી દેખાતી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલના તાબડતોડ બેટિંગના કારણે ભારતીયી ટીમની જીતની આશા ફરી જીવંત થઇ હતી.

બન્ને ટીમોએ આજે બીજી ટી20માં દમદાર રમત બતાવી, જોકે, આખરમાં શ્રીલંકન ટીમે બાજી મારી લીધી અને સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી હતી, પ્રથમ ટી20 ભારતીય ટીમે જીતી હતી, જોકે હવે બીજી ટી20 શ્રીલંકાએ જીતી લીધી છે, હવે બન્ને ટીમો આગામી ફાઇનલ મેચ માટે 7મી જાન્યુઆરીએ આમને સામને ટકરાશે.

Advertisment