IND vs SL: શ્રીલંકાએ ભારતને 110 રનથી હરાવ્યું, ભારતનો સીરિઝમાં 2-0થી પરાજય

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ત્રીજી વન ડેમાં શ્રીલંકાએ ભારતને 110 રનથી હાર આપી હતી. આ સાથે જ ભારતનો સીરિઝમાં 2-0થી પરાજય થયો હતો. પ્રથમ વન ડે ટાઈ થઈ

New Update
ઈઇન્ડિયા

ત્રીજી વન ડેમાં શ્રીલંકાએ ભારતને 110 રનથી હાર આપી હતી. આ સાથે જ ભારતનો સીરિઝમાં 2-0થી પરાજય થયો હતો. પ્રથમ વન ડે ટાઈ થઈ હતી. બેટ્સમેનોના શાનદાર પ્રદર્શન બાદ શ્રીલંકાએ ડ્યુનિથ વેલાલાગેના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ત્રીજી વનડેમાં ભારતને 2-0થી હરાવીને શ્રેણી જીતી લીધી હતી. 1997 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારત શ્રીલંકા સામે વનડે શ્રેણી હારી ગયું હોય. શ્રીલંકાએ છેલ્લે 1997માં અર્જુન રણતુંગાની કપ્તાનીમાં ભારતને 3-0થી હરાવ્યું હતું. ત્યારથી  ભારતે સતત 11 વખત વનડે શ્રેણી જીતી હતી, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ રેકોર્ડ જાળવી શકી ન હતી અને 27 વર્ષ પછી શ્રીલંકા સામે વનડે શ્રેણી ગુમાવવી પડી હતી. આ સાથે જ ભારતનો શ્રીલંકા પ્રવાસ ખતમ થઈ ગયો છે. આ પ્રવાસ પર ભારતે ટી20 શ્રેણી 3-0થી જીતી હતી, પરંતુ ભારતીય ટીમ વનડે શ્રેણીમાં આ ગતિ જાળવી શકી ન હતી.

શ્રીલંકાએ વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતને 110 રને હરાવ્યું હતું. આ જીત સાથે તેણે શ્રેણી પર પણ કબ્જો કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 248 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 138 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ 35 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 20 રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગે 15 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 96 રનની ઇનિંગ રમી હતી. કુસલ મેન્ડિસે 59 રનનું યોગદાન આપ્યું હતું. પથુમ નિસાન્કાએ 45 રનની ઇનિંગ રમી હતી

Latest Stories