IND vs SL T20 : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રને આપી હાર, ઈન્ડિયાએ 2-1થી સિરીઝ પોતાના નામે કરી

New Update
IND vs SL T20 : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રને આપી હાર, ઈન્ડિયાએ 2-1થી સિરીઝ પોતાના નામે કરી

ભારત અને શ્રીલંકા T20 સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રને હાર આપી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ પોતાના નામે કરી હતી.

ટીમ ઈન્ડિયાએ આપેલા 229 રનના ટાર્ગેટની સામે શ્રીલંકા 16.4 ઓવરમાં 137 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી સૌથી વધુ કુસલ મેન્ડિસ, દાસુન શનાકાએ 23 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિકે 2-2 વિકેટ લીધી હતી. અને અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી.

Latest Stories