T-20 વર્લ્ડકપ માટે ન્યુઝીલેન્ડની ટીમ જાહેર, કેન વિલયમ્સન કરશે કેપટનશીપ

New Update
T-20 વર્લ્ડકપ માટે ન્યુઝીલેન્ડની ટીમ જાહેર, કેન વિલયમ્સન કરશે કેપટનશીપ

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારા T20 વર્લ્ડ કપ 2024 માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સોમવારે બે બાળકો સાથે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. બોર્ડે આનો એક ફની વીડિયો ટ્વીટ કર્યો છે. બાળકોમાં છોકરીનું નામ માટિલ્ડા અને છોકરાનું પહેલા ODI વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત પણ અલગ રીતે કરવામાં આવી હતી. ત્યારે ખેલાડીઓના પરિવારજનોએ ટીમની જાહેરાત કરી હતી. બોર્ડે તે જ દિવસે ટુર્નામેન્ટ માટે ટીમ કીટ પણ લોન્ચ કરી હતી.

સ્ટાર ખેલાડી કેન વિલિયમસનને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર બેટિંગ કરનાર રચિન રવીન્દ્રને પણ ટીમમાં સામેલ કર્યો છે. રચિન અને મેટ હેનરી પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમશે. બેન સીઅર્સનો 16મા ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સમાવેશ કર્યો છે.આ વખતે T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટુર્નામેન્ટ માટે સૌપ્રથમ પોતાની ટીમની જાહેરાત કરી છે.

ન્યુઝીલેન્ડની ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિચેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી અને ટિમ સાઉથી.

Read the Next Article

IND vs ENG ટેસ્ટ: નંબર 3 પર કોને તક મળશે? કરુણ નાયરે પોતાના દિલની વાત કહી

ભારતીય ઉપ-કેપ્ટને બુધવારે સંકેત આપ્યો હતો કે કેપ્ટન શુભમન ગિલ 4 નંબર પર આવી શકે છે. તે જ સમયે, પંત પોતે 5 નંબર પર બેટિંગ કરતા જોવા મળશે.

New Update
crickts

ઇંગ્લેન્ડની ટીમે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ માટે તેના પ્લેઇંગ 11 ની જાહેરાત કરી છે. તે જ સમયે, ભારતની અંતિમ 11 ફક્ત ટોસ દરમિયાન જ જાણી શકાશે. જોકે, રિષભ પંતે પ્રેસ કોન્ફરન્સમાં ચિત્રને ઘણી હદ સુધી સ્પષ્ટ કરી દીધું હતું.

ગિલ 4 નંબર પર આવી શકે છે

ભારતીય ઉપ-કેપ્ટને બુધવારે સંકેત આપ્યો હતો કે કેપ્ટન શુભમન ગિલ 4 નંબર પર આવી શકે છે. તે જ સમયે, પંત પોતે 5 નંબર પર બેટિંગ કરતા જોવા મળશે. પંતે સ્પષ્ટ કર્યું નથી કે નંબર 3 પર કોને તક મળશે.

જોકે, BCCI એ આજે ​​એક વીડિયો શેર કર્યો. આ વીડિયો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કરુણ નાયરને પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ 11 માં તક મળી શકે છે. જો કરુણ અંતિમ 11 માં સ્થાન મેળવે છે, તો તેને 3 નંબર પર મેદાનમાં ઉતારી શકાય છે. તેણે છેલ્લા 8 વર્ષથી કોઈ ટેસ્ટ રમી નથી.

નાયરે પોતાના દિલની વાત કહી

BCCI દ્વારા X પર શેર કરાયેલા એક વીડિયોમાં, કરુણ નાયરે કહ્યું, "મારું લક્ષ્ય હંમેશા આ ટીમમાં પાછા ફરવાનું હતું. દરરોજ જ્યારે હું જાગતો હતો, ત્યારે હું વિચારતો હતો કે હું કેવી રીતે વાપસી કરી શકું. ફરી એકવાર ભારતીય જર્સી પહેરવી એ એક ખાસ અનુભૂતિ છે."

નાયરની ટેસ્ટ કારકિર્દી પર એક નજર

  • કરુણ નાયરે માર્ચ 2017 માં ધર્મશાલામાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ રમી હતી.
  • ત્યારથી, તે ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
  • આ સમય દરમિયાન, તેણે ઘણી વખત સ્થાનિક ક્રિકેટમાં પણ પોતાને સાબિત કર્યું.
  • કરુણ નાયરે નવેમ્બર 2016 માં મોહાલીમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
  • તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી રમાયેલી 6 ટેસ્ટમાંથી 7 ઇનિંગ્સમાં 374 રન બનાવ્યા છે.
  • નાયરે ચેન્નાઈમાં ઇંગ્લેન્ડ સામે અણનમ 303 રન બનાવ્યા હતા.

BCCI દ્વારા X પર શેર કરાયેલા એક વીડિયોમાં, કરુણ નાયરે કહ્યું, "મારું લક્ષ્ય હંમેશા આ ટીમમાં પાછા ફરવાનું હતું. દરરોજ જ્યારે હું જાગતો હતો, ત્યારે હું વિચારતો હતો કે હું કેવી રીતે વાપસી કરી શકું. ફરી એકવાર ભારતીય જર્સી પહેરવી એ એક ખાસ અનુભૂતિ છે."