Connect Gujarat
સુરત 

સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીની ઉમેદવારી રદ, ચારેય ટેકેદારો હાજર ન રહેતા ઉમેદવારનું ફોર્મ કેન્સલ

નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું

સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીની ઉમેદવારી રદ, ચારેય ટેકેદારો હાજર ન રહેતા  ઉમેદવારનું ફોર્મ કેન્સલ
X

સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.

Next Story