ભારતનું લોકપ્રિય હિલસ્ટેશન એટલે મહાબળેશ્વર, ચોમાસામાં પ્રાકૃતિક સૌંદર્ય તમારું મન મોહી લેશે, તો બનાવો ફરવા જવાનો પ્લાન !!
માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો અહીં ફરવા માટે આવે છે. મહાબળેશ્વરનું શિવ મંદિર પણ ખૂબ જ લોકપ્રિય ગણાઈ છે
ફરવા માટે સૌથી બેસ્ટ ચોમાસુ ગણાઈ છે કારણ કે ચોમાસામાં પ્રકૃતિ સોળેકલાએ ખીલી ઊઠે છે. એમાં પણ હિલ સ્ટેશન ફરવા જવાની મજા જ કઈક અલગ હોય છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામા આવેલું મહાબળેશ્વર કે જ્યાં માત્ર હરિયાળી જ જોવા મળશે. માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો અહીં ફરવા માટે આવે છે. મહાબળેશ્વરનું શિવ મંદિર પણ ખૂબ જ લોકપ્રિય ગણાઈ છે. આ મંદિર મહાબળેશ્વરથી 67 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તમને આ મંદિરમાં મરાઠા કલાકૃતિઓની ઝલક જોવા મળશે. મહાબળેશ્વરની ઊંચાઈ પર આવેલા પ્રતાપગઢ કિલ્લા પર પણ લોકોની ભીડ જોવા મળે છે.
મરાઠા સામ્રાજ્યના સમયનો આ કિલ્લો તેની વિરાસત માટે ખૂબ જ જાણીતો છે. મહાબળેશ્વરનું સૌથી પ્રખ્યાત વ્યુ પોઈન્ટ, આર્થરની સીટને ક્વીન ઓફ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ડાબી બાજુ સાવિત્રી નદી વહે છે અને જમણી બાજુએ બ્રહ્મા અરણ્ય વન છે. મહાબળેશ્વરથી બે કિલોમીટરના અંતરે એક તળાવ પણ છે, જે વેણા તળાવ તરીકે ઓળખાય છે. પ્રવાસીઓ અહીં બોટિંગની મજા માણવા આવે છે.