જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું કોરોનાને કારણે નિધન

New Update
જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું કોરોનાને કારણે નિધન

ગુજરાતમાં કોરોના ભયંકર રીતે વકરી રહ્યો છે. રોજ નવા રેકોર્ડબ્રેક આંકડા આવી રહ્યાં છે. ત્યારે અન્ય એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે કે, જુનિયર કે.લાલ એટલે કે જાણીતા જાદુગર હર્ષદરાવ વોરાનું કોરોનાને કારણે આવસાન થયું છે. બાવીસ વર્ષની ઉંમરેથી હર્ષદભાઈ એટલે કે જુનિયર કે.લાલ જાદુના શો કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી. કે.લાલ અને જુનિયર કે.લાલ જાદુગર તરીકે એટલા પ્રસિદ્ધ હતા કે જાદુના શોનો બીજો પર્યાય કે. લાલ થયો હતો. જુનિયર કે.લાલના અવસાનને કારણે ગુજરાતીઓમાં શોકની લાગણી છવાઇ છે.

જુનિયર કે. લાલને તેમના માતાપિતા જાદુના ક્ષેત્રમાં લાવવા માંગતા ન હતા. બહું ઓછા લોકોને ખબર હશે કે, જુનિયર કે.લાલ જાદુની દુનિયામાં પિતાની મદદ વગર જ કોઇને ખબર ન પડે તે રીતે આવ્યા હતા.

Latest Stories