ભારતીય નેવીનું મોટું ઓપરેશન, ઈરાની જહાજમાંથી 23 પાકિસ્તાનીઓને ચાંચિયાઓથી બચાવ્યા
BY Connect Gujarat Desk30 March 2024 4:39 AM GMT
X
Connect Gujarat Desk30 March 2024 4:39 AM GMT
ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમેધાએ શુક્રવારે (29 માર્ચ) ઈરાની માછીમારી જહાજ અલ-કંબરમાંથી 23 પાકિસ્તાની નાગરિકોને ચાંચિયાઓથી બચાવ્યા હતા. નેવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું.જહાજમાં સોમાલિયાના 9 ચાંચિયાઓ હાજર હતા. માહિતી બાદ નેવીની ટીમે 12 કલાક સુધી ઓપરેશન હાથ ધરીને લૂંટારાઓને સરેન્ડર કરવા મજબૂર કર્યા હતા.
હાલ નેવીની ટીમ જહાજની તપાસ કરી રહી છે. આ પછી તેને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવશે.સોમાલિયા એક એવો દેશ છે જેના સમુદ્રમાં મોટી સંખ્યામાં માછલીઓ છે. 1990 સુધી તેની અર્થવ્યવસ્થા માત્ર માછલી પર આધારિત હતી. ત્યારે અહીં ચાંચિયાઓનો ડર નહોતો. મોટાભાગના લોકો માછલીનો વેપાર કરતા હતા. પછી અહીં ગૃહયુદ્ધ શરૂ થયું. સરકાર અને નૌકાદળ હવે નથી. વિદેશી કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો.
Next Story