ઈરાનની સેનાએ પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે મુખ્ય ઠેકાણાઓ પર કર્યો હવાઈ હુમલો
BY Connect Gujarat Desk17 Jan 2024 3:50 AM GMT
X
Connect Gujarat Desk17 Jan 2024 3:50 AM GMT
ઈરાનની સેનાએ મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે મુખ્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાક અને સીરિયામાં હવાઈ હુમલાના એક દિવસ બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પાકિસ્તાનમાં ઘૂસીને હવાઈ હુમલા કર્યા હતા. ઈરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે બલૂચ આતંકવાદી જૂથના બે મુખ્ય બેઝ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાની સેનાએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના વિસ્તાર પર હુમલો કર્યો, જ્યાં જૈશ-અલ-અદલનું સૌથી મોટું હેડક્વાર્ટર હતું. પાકિસ્તાને દાવો કર્યો છે કે ઈરાનના ઉશ્કેરણી વગરના હુમલામાં બે માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે.
Next Story