ઈઝરાયલી સૈનિકોએ ત્રણ ઈઝરાયેલી બંધકોને ખતરો સમજી તેમની પર કર્યો ગોળીબાર, વાંચો શું હતી સમગ્ર ઘટના

New Update
ઈઝરાયલી સૈનિકોએ ત્રણ ઈઝરાયેલી બંધકોને ખતરો સમજી તેમની પર કર્યો ગોળીબાર, વાંચો શું હતી સમગ્ર ઘટના

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શુક્રવારે (15 ડિસેમ્બર) ઈઝરાયેલની સેનાએ આકસ્મિક રીતે પોતાના જ દેશના ત્રણ બંધકોને મારી નાખ્યા. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ આ જાણકારી આપી. તેણે કહ્યું કે ઈઝરાયલી સૈનિકોએ ત્રણ ઈઝરાયેલી બંધકોને ખતરો સમજ્યા અને તેમના પર ગોળીબાર કર્યો, જેમાં તેઓ માર્યા ગયા.

હગારીએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારે સવારે બની હતી. ઉત્તરી ગાઝામાં શેજૈયામાં લડાઈ દરમિયાન ઈઝરાયેલી સૈનિકોએ ભૂલથી ત્રણ ઈઝરાયેલી બંધકોને ખતરો ગણાવ્યો હતો. હગારીએ એમ પણ કહ્યું, "આ આપણા બધા માટે દુઃખદ અને પીડાદાયક ઘટના છે અને જે બન્યું તેના માટે IDF જવાબદાર છે."

IDFએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા ઇઝરાયલી બંધકોમાં યોતમ હૈમનું આતંકવાદી સંગઠન હમાસ દ્વારા 7 ઓક્ટોબરે કિબુત્ઝ કફર અઝામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. અન્ય બંધક સમર તલાલ્કાનું હમાસ દ્વારા 7 ઓક્ટોબરે કિબુત્ઝ નિર આમથી અપહરણ કરવામાં આવ્યું હતું. IDFએ કહ્યું કે ત્રીજા બંધકના પરિવારને જાણ કરવામાં આવી હતી અને તેનું નામ પ્રસારિત ન કરવા વિનંતી કરી હતી.

Latest Stories