રામરહીમને હાઇકોર્ટે હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યો, જો કે જેલમાં જ રહેવું પડશે !

New Update
રામરહીમને હાઇકોર્ટે હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યો, જો કે જેલમાં જ રહેવું પડશે !

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજિત સિંહની હત્યાકાંડમાં ડેરા સચ્ચા સૌદા ચીફ રામરહીમને નિર્દોષ જાહેર કર્યો છે. CBI કોર્ટે રામરહીમ સહિત 5 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી.

હાઈકોર્ટે CBI કોર્ટના આ નિર્ણયને રદ કર્યો છે.રામરહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. તે 3 કેસમાં જેલવાસ ભોગવી રહ્યો હતો. રણજિત હત્યાકેસ સિવાય, તેમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા અને સાધ્વીઓના યૌન શોષણનો કેસ સામેલ છે. તેને પત્રકારની હત્યામાં આજીવન કેદ અને યૌનશોષણના બે કેસમાં 10-10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં નિર્દોષ જાહેર થયા છતાં રામરહીમને હજુ પણ જેલમાં જ રહેવું પડશે.

Latest Stories