પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના એરબેઝ પર આતંકી હુમલો, ચાર આતંકીઓ માર્યા ગયા
BY Connect Gujarat Desk26 March 2024 3:15 AM GMT
X
Connect Gujarat Desk26 March 2024 3:15 AM GMT
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના તુર્બત ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એરબેઝ પર સોમવારે રાત્રે આતંકીઓએ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની સુરક્ષા દળોએ નેવલ એરબેઝ પર હુમલો અટકાવ્યો અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા. તે જ સમયે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના એર સ્ટેશન પીએનએસ સિદ્દીકી પર ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો છે અને આ વિસ્તારમાંથી ઘણા વિસ્ફોટના અહેવાલ છે.
આ પછી પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના માજિદ બ્રિગેડે તુર્બતમાં નૌસેના એરબેઝ પર હુમલાની જવાબદારી લીધી છે. મજીદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. તે ચીન અને પાકિસ્તાન પર ક્ષેત્રના સંસાધનોનું શોષણ કરવાનો પણ આરોપ લગાવે છે.
Next Story