કચ્છનાં નવા કલેકટર એમ.નાગરાજને સંભાળ્યો ચાર્જ

કચ્છનાં નવનિયુક્ત કલેકટર એમ.નાગરાજને આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે..ત્યારે ગુજરાતનાં સૌથી મોટા અને સરહદી જીલ્લા કચ્છમાં બોર્ડર સિક્યોરિટી ઉપરાંત શિક્ષણ તથા આરોગ્યનાં મુદ્દા જીલ્લા વહીવટી તંત્રમાં ટોપ પ્રાયોરિટીમાં રહેશે તેવુ નવા કલેકટરે જણાવ્યું હતું.
કચ્છનાં કલેકટર તરીકે ચાર્જ સભાળનારા વર્ષ 2009ની બેચનાં IAS અધિકારી એમ. નાગરાજને મુલાકાત દરમિયાન સરહદી સુરક્ષા ઉપર વિશેષ ભાર મુકવામાં આવશે તેમ જણાવીને સુરક્ષા દળો તથા પોલીસની સાથે સાથે સ્થાનિક તંત્રનાં સંકલન ઉપર ખાસ ભાર મુક્યો હતો. તાજેતરમાં રાજય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી કરાવામાં આવી હતી તેમાં અરવલ્લી-મોડાસાનાં કલેકટર એમ. નાગરાજનને કચ્છનાં કલેકટર તરીકે મુકવામાં આવ્યા હતા.કચ્છનાં નવા કલેકટર નાગરાજને કોમર્સમાં સ્નાતક કર્યા પછી ઇકોનોમિક્સ તેમજ પબ્લિક પોલિસીમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. જીલ્લા કક્ષાએ તેમજ કોર્પોરેશનમાં ફરજ બજાવી ચૂકેલા કચ્છનાં નવનિયુક્ત કલેકટરે આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રે પણ ખાસ ધ્યાન આપવામાં આવશે તેમજ અરજદારોને તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા કરાશે તેવું જણાવ્યું હતું.