સુરત : ફાયરવિભાગ વિભાગનો સપાટો, 325 જેટલી દુકાનોને કરાઇ સીલ
BY Connect Gujarat15 Nov 2019 10:43 AM GMT

X
Connect Gujarat15 Nov 2019 10:43 AM GMT
સુરત
ફાયર સેફટીને લઈ ફાયર વિભાગ દ્વારા કતારગામમાં રાજદીપ કોમ્પ્લેક્ષની 55 દુકાનો સહિત મહિધરપુરા ખાતે આવેલ ડાયમંડ
વિલેજ કોમ્પ્લેક્ષની 270 દુકાનો મળી કુલ 325 દુકાનો સીલ કરવામાં આવી છે.
સુરત શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ પણ વેપારીઓ, દુકાનદારો ફાયર સેફ્ટીની સુવિધાને લઇ આળસ બતાવી રહ્યા છે, ત્યારે ગત મોડી રાત્રીએ સુરત ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી સાથે સપાટો બોલાવ્યો હતો. સુરતના કતારગામ ખાતે રાજદીપ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા ફાયર વિભાગ દ્વારા 55 દુકાનો તેમજ મહિધરપુરા ખાતે આવેલ ડાયમંડ વિલેજ કોમ્પ્લેક્ષની 270 દુકાનો સહિત કુલ 325 દુકાનોને સીલ કરવામાં આવી છે.
Next Story