ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ નવા 1034 કેસ નોંધાયા,27 દર્દીઓના મોત

New Update
ગુજરાતમાં આજે 1009 નવા પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1034 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 27 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 67811 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2584 પર પહોંચ્યો છે. આજે વધુ 917 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધી કુલ 50322 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આજે 1034 નવા નોંધાયેલ કેસ પૈકી સુરતમાં 238 , અમદાવાદમાં- 151, વડોદરામાં- 118 , રાજકોટ – 90 , મહેસાણા- 34, કચ્છ 27, જામનગર -26, જુનાગઢ – 44 , ભાવનગર – 44 , ખેડા 21, અમરેલી 20, પંચમહાલ 20, ભરૂચ 19, ગાંધીનગર 32 , સુરેન્દ્રનગર 18, વલસાડ 16, ગીર સોમનાથ 15, મોરબી 14, સાબરકાંઠા 14, બોટાદ 12, દાહોદ 11, મહીસાગર 11, નવસારી 9, પાટણ 7, આણંદ 6, નર્મદા 6, બનાસકાંઠા 2, જામનગર 2, તાપી 2, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 1 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં આજે વધુ 27 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ - 5, સુરતમાં 9, રાજકોટ- 2 , કચ્છ 2, વડોદરામાં- 3 , જામનગર- 1, મહેસાણા 1, અને વલસાડમાં 1 મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2584 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વેલ્ટીલેટર પર છે અને 14823 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 50322 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 9,03,782 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રિકવર રેટ 74.21 ટકા છે.

Latest Stories