અમદાવાદમા મંગળવારે લંડનથી આવેલી ફલાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળ્યા છે. અમદાવાદના બે મુસાફરોને SVP હોસ્પિટલના ઓમીક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
શુક્રવાર સુધીમાં પરિણામ આવવાની શક્યતાઓ છે. SVPમાં ઓમીક્રોનના બે અને સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો એક દર્દી દાખલ છે.
