ભરૂચ એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે.

આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે. પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે.ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારો વિરુદ્ધ કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરવામાં આવી છે. પરિષદે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ મંત્રીઓને પત્રકારો વિરુદ્ધ સાર્વજનિક ટિપ્પણીઓ ન કરવા સૂચના આપે એવી માંગ કરવામાં આવી છે.