અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ઉદ્યોગ મંડળના હોદ્દેદારો અને જીપીસીબીના અધિકારીઓ પણ જોડાયા હતા.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉપક્રમે ઇનરવીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા વીક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.જેના ભાગરૂપે તારીખ 28મીના રોજ સવારે જીઆઇડીસીમાં ઉદ્યોગ મંડળના હોદ્દેદારો,સભ્યો તેમજ જીપીસીબીના અધિકારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
