-
મનપા બન્યાના 6 માસ થયા બાદ 12થી વધુ ગામનો સમાવેશ
-
મનપા દ્વારા 900થી વધુ કર્મચારીને નોટિસ ફટકારવામાં આવી
-
કોન્ટ્રાક્ટ-રોજમદાર કર્મચારીનો 5 દિવસનો પગાર કાપી લેવાયો
-
મનપા દ્વારા લેવાયેલા નિર્ણય સામે પાલિકા કર્મીઓનો વિરોધ
-
રોષે ભરાયેલા કર્મચારીઓએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી
નવસારી મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ અને રોજમદાર 900થી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારી તેમનો 5 દિવસનો પગાર કાપી લેવાના નિર્ણય સામે પાલિકા કર્મીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
નવસારી મહાનગરપાલિકા બન્યાના 6 માસ થયા બાદ આસપાસ આવેલ 12થી વધુ ગામોનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા 900થી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં કોન્ટ્રાક્ટ અને રોજમદાર પર રાખેલા કર્મચારીઓનો 5 દિવસનો પગાર કાપવામાં આવ્યો છે. જોકે, નવસારી મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણય સામે પાલિકા કર્મીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે, અમને મળતા 9 હજાર પગારમાંથી 2 હજાર જેટલા રૂપિયા કાપી લેવામાં આવ્યા છે, ત્યારે મનપાની વિવિધ શાખાના કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવતા કર્મચારીઓ રોષે ભરાયા હતા, અને નવસારી મનપાના ડેપ્યુટી કમિશનરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. આ દરમ્યાન ડેપ્યુટી કમિશનરએ ઉપરથી આદેશ આપવામાં આવ્યો હોવાનું રટણ કર્યું હતું.
