• પાટણમાં રાણીની વાવ ઉત્સવનું આયોજન

  • બે દિવસીય ઉત્સવનું કરાયું છે આયોજન

  • પ્રભારી મંત્રીના હસ્તે ઉત્સવનું ઉદ્ઘાટન કરાયું

  • રાણીની વાવને વર્લ્ડ હેરિટેજનો મળ્યો છે દરજ્જો

  • દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ

પાટણમાં બે દિવસીય રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પાટણમાં તારીખ 7 અને 8 ફેબ્રુઆરી2026ના રોજ રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમતગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રપાટણ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ દ્વિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યુનેસ્કો દ્વારા રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો તેની સ્મૃતિરૂપે આ ઉત્સવ દર વર્ષે ઉજવાય છે.

મહોત્સવનું ઉદ્ઘાટન પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું.આ ઉત્સવ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ કેન્દ્ર બન્યો છે.