-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં આયોજન
-
ગોપાલક મંડળ દ્વારા આયોજન
-
9મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
-
16 યુગલોએ પ્રભુતામાં માંડ્યા ડગ
ભરૂચ: ગોપાલક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો, 16 યુગલોએ પ્રભુતામાં માંડ્યા ડગ
ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા નવમાં સમૂહ લગ્નનું આયોજન દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ જેમાં 16 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા..... ગુજરાત | સમાચાર
ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા નવમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું જેમાં 16 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા હતા. ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા નવમાં સમૂહ લગ્નનું આયોજન દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ હતું.
સમાજના અગ્રણી દિનેશ આહિર, લક્ષ્મણ આહીર, બાબુભાઈ આહિર સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ સમૂહલગ્નનું આયોજન કરવામાં હતું.જેમાં 16 યુગલોએ પ્રભુતામાં ડગ મંડ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના અગ્રણીઓએ નવ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા.
