અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થાય તે હેતુથી પી.આઈ. ફાઉન્ડેશન દ્વારા નોટબુક, મોટા ડાયરા અને બોલપેનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ પી.આઈ. ફાઉન્ડેશનના દેશરાજ બંસલ તથા આતાપી સેવા ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમમાં ઉમરવાડા ગામના સરપંચ ઈમ્તિયાઝ મકરોડ, બાબુ વકીલ, સામાજિક કાર્યકર જુનેદ પંચભાયા, ઈબ્રાહીમ માર્શલ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

