ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1081 નવા કેસ નોંધાયા, 22 દર્દીઓના મોત

New Update
ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1081 નવા કેસ નોંધાયા, 22 દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1081 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 54,712 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 782 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ 39612 દર્દીઓ ડિસ્ટાર્જ થયા છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે.

આજે 1081 નવા નોંધાયેલ કેસ પૈકી સુરતમાં 276, અમદાવાદમાં- 180, વડોદરામાં- 94, રાજકોટ – 65 , બનાસકાંઠા- 34, સુરેન્દ્રનગર -29, ભરુચ -25, દાહોદ- 25, મહેસાણા-25, ભાવનગર-24 , ગાંધીનગર- 24, ગીર સોમનાથ- 23, પાટણ - 21, કચ્છ- 19, વલસાડ-19, પંચમહાલ-18, ભાવનગર- 17, જામનગર-13, નર્મદા-12, નવસારી- 12, ખેડા- 11, આણંદ- 10, મહીસાગર-10, મોરબી-10, સાબરકાંઠા- 10, જુનાગઢ- 7, તાપી-6, ગાંધીનગર - 5, અમરેલી-3, અરવલ્લી-3, બોટાદ-3, દેવભૂમિ દ્વારકા- 3, પોરબંદર- 3, છોટા ઉદેપુરમાં 2 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં આજે વધુ 22 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરતમાં 11, અમદાવાદ -4, વડોદરા -2, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ એક-એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2305 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં હાલ 12795 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વેલ્ટીલેટર પર છે અને 12708 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 39612 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,20,662 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Latest Stories