ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1110 નવા કેસ નોંધાયા,21 દર્દીઓના મોત

New Update
ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1110 નવા કેસ નોંધાયા,21 દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1110 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 21 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 55822 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 753 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ 40365 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 2326 પર પહોંચ્યો છે.

આજે 1110 નવા નોંધાયેલ કેસ પૈકી સુરતમાં 299, અમદાવાદમાં- 163, વડોદરામાં- 92, રાજકોટ - 72, અમરેલી 39, બનાસકાંઠા- 35, દાહોદ- 30, નર્મદા 26, સુરેન્દ્રનગર 24, છોટા ઉદેપુર 22, પાટણ 22, કચ્છ 20, ભરૂચ 19, ગીર સોમનાથ 18, જૂનાગઢ 20, મહેસાણા-18, નવસારી 18, પંચમહાલ 18, ભાવનગર -17 , વલસાડ 15, ભાવનગર 14, સાબરકાંઠા 14, ગાંધીનગર- 19, આણંદ 11, મોરબી 10, ખેડા 9, તાપી 9, જામનગર 14 , ડાંગ 6, બોટાદ 5, દેવભૂમિ દ્વારકા 4, અરવલ્લી 3, મહિસાગર 3, અને પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે.

રાજયમાં આજે વધુ 21 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરતમાં 12 ,અમદાવાદ -3, ગાંધીનગર 1, જામનગર 1, મોરબી 1, રાજકોટ 1, વડોદરા 2 દર્દીનું મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2326 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં હાલ 13131 એક્ટિવ કેસ છે, જેમાંથી 85 વેલ્ટીલેટર પર છે અને 13046 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 40365 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,42,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Latest Stories