જામનગર : ગુજરાત રાજયના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

New Update
જામનગર : ગુજરાત રાજયના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ગુજરાત અધિક મુખ્ય સચિવ (મહેસુલ) પંકજકુમાર તથા જામનગરના પ્રભારી સચિવ અને રાજ્યના પશુપાલન વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જયાં તેમણે સમીક્ષા બેઠક યોજી હતી.

publive-image

અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લાના વહીવટી અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, જિલ્લાની કોવિડ પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી અને સંક્રમણને અટકાવવા માટે અધિકારીઓ સાથે માઈક્રો પ્લાનિંગ અને ડીટેલ એનાલીસીસ કર્યું હતું. ત્યારબાદ અધિક મુખ્ય સચિવ તેમજ પ્રભારી સચિવ એ કોવિડ હોસ્પિટલ -ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હોસ્પિટલની વ્યવસ્થાઓ નિહાળી આવશ્યક સૂચનો કર્યા હતા તેમજ તબીબી સ્ટાફ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં કલેકટર રવિશંકર, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા ,કોરોના નોડલ ડોકટર એસ.એસ.ચેટરજી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર વગેરે અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના, એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.

New Update
uttrakhnd

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, બોલેરો કાર 150  મીટર ઊંડી ખીણમાં પડી  હતી. આ વાહન મુસાફરોથી ભરેલું હતું. આ અકસ્માત સોની બ્રિજ પાસે થયો હતો.

રાહત અને બચાવ કાર્ય શરુ

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બોલેરો ટેક્સી મુવાનીથી બક્તા જઈ રહી હતી. જેમાં 13 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે જ આઠ લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને બચાવી લેવામાં આવી રહ્યા છે.

મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી

બોલેરો કાર ખીણમાં ખાબકી તેના કારણો શોધવામાં આવી રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો કચ્ચરઘાણ નિકળી  ગયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

Latest Stories