અમદાવાદ : AMCએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફટકાર્યો 1,000 રૂપિયાનો દંડ

New Update
અમદાવાદ : AMCએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફટકાર્યો 1,000 રૂપિયાનો દંડ

અમદાવાદમાં લોકો જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે અને તેની મોટી બુમરાણ ઊઠી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ શહેરમાં 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ રાખવામાં નિર્ણય કરવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે ખુદ પાલિકાના જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નીતિન સાંગવાનને માસ્ક ન પહેરવા બદલ 1,0000 રૂપિયાનોદંડ ફટકારવામાં આવ્યો છે.

હકીકતમાં વિગત એવી છે કે અદમદાવાદ સ્માર્ટ સીટીના સીઈઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નીતિન સાંગવાન નવરંગપુરામાં એક સાયકલ રેલીને લીલી ઝંડી દેખાડવા માટે ગયા હતા. આ કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિતિ હતા. જોકે, સાંગવાને આ કાર્યક્રમમાં માસ્ક નહોતું પહેર્યુ જેના કારણે તેમના પર કાર્યવાહી થઈ છે

સાંગવાને ઘટનાની જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી કે આજે સવારે હું આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો અને અજાણતા જ મારાથી માસ્ક નીચે રહી ગયું હતું. જોકે, આ એક ગંભીર ભૂલ હતી. પરંતુ મને ખુશી છે કે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા તેની નોંધ લેવામાં આવી અને મને દંડ ફટકારવામાં આવ્યોસાંગવાને વધુમાં લખ્યું કે હું સૌને અપીલ કરું છું કે તમે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરો. આમ સામાન્ય માણસને નહીં પરંતુ આઈએએસ અધિકારીને પણ દંડ કરવામાં આવતા અમદાવાદ પાલિકાએ સારૂં ઉદાહરણ આપ્યું છે

Read the Next Article

ઉત્તર પ્રદેશ: અમરોહામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 મહિલા કામદારોના મોત, 9 ગંભીર રીતે ઘાયલ

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં સોમવારે એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં ચાર મહિલા કામદારોના મોત થયા, જ્યારે આઠ મહિલા કામદારો અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા.

New Update
ફાયર

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં સોમવારે એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં ચાર મહિલા કામદારોના મોત થયા, જ્યારે આઠ મહિલા કામદારો અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા.

માહિતી મળતાં જ ડીએમ અને એસપી સહિત સમગ્ર વહીવટી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો. ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, અકસ્માતમાં જીવ ગુમાવનાર મહિલા કામદારોના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

રાજવાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અત્રાસી ગામ નજીક એક ફટાકડાની ફેક્ટરીમાં આ અકસ્માત થયો હતો, જ્યારે 15 થી વધુ મહિલા અને પુરુષ કામદારો ફેક્ટરીમાં બનેલા ફટાકડા પેક કરવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ફટાકડા ફૂટ્યા અને ત્યાં કામ કરતી ચાર મહિલા કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે આઠ મહિલા કામદારો અને એક પુરુષ ગંભીર રીતે દાઝી ગયા હતા

અકસ્માત એટલો ભયાનક હતો કે જ્યારે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો ત્યારે મહિલા કામદારોના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા હતા. વિસ્ફોટ દરમિયાન દાઝી ગયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરી રહ્યા હતા, પરંતુ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ-પ્રશાસનના અધિકારીઓએ વિલંબ કર્યા વિના ગંભીર રીતે ઘાયલ મહિલા કામદારો ને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા  હાલમાં, અકસ્માત દરમિયાન દાઝી ગયેલી અને ઘાયલ થયેલી ત્રણ મહિલા કામદારોની હાલત ગંભીર છે.

દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાંથી ફટાકડા ની ફેક્ટરી બંધ થયા પછી, અમરોહા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ડઝનબંધ ફટાકડા ની ફેક્ટરીઓ સ્થાપિત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, ત્યારે ફટાકડા ફેક્ટરીના માલિકે એનસીઆરમાં આવતા જિલ્લાઓ માંથી ફેક્ટરી હટાવી દીધી હતી અને તેને નજીકના જિલ્લાઓમાં ખસેડી હતી. ફટાકડા ની ફેક્ટરી હાપુડ જિલ્લાના થાણા હાપુડ નગરના ભંડા પટ્ટી ગામના રહેવાસી સૈફુરરહમાનના નામે ચલાવવામાં આવે છે.