અમદાવાદ: તાઉતે વાવાઝોડાના કારણે રાજયમાં 45 લોકોના મોત, જુઓ તારાજીના દ્રશ્યો

New Update
અમદાવાદ: તાઉતે વાવાઝોડાના કારણે રાજયમાં 45 લોકોના મોત, જુઓ તારાજીના દ્રશ્યો

'તાઉ-તે' વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં ભારે વિનાશ વેર્યો છે.વાવાઝોડાના કારણે રાજયમાં 45 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો 60 હજારથી વધારે વૃક્ષો પણ ધરાશયી થઈ ગયા હતા.

વિનાશક 'તાઉ-તે' વાવાઝોડું રાજ્યમાં ટકરાયા બાદ રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં વિનાશ વેર્યો છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગઈકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નડિયાદ તાલુકામાં નોંધાયો છે. ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા હતા.

રાજ્યમાં ખેડા, ગીર-સોમનાથ, ભાવનગર, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ભરૂચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સૌથી વધુ 4થી 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ભારે વાવઝોડાથી 45 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે વાવાઝોડાએ ગુજરાતમાં ભારે કહેર વર્તાવ્યો છે, રાજ્યમાં વાવાઝોડાના કારણે ભયંકર નુકસાન થયું છે અને 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં સામે આવ્યું છે કે વાવાઝોડાના કારણે મુત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 45 થઈ છે. આ સાથે જ ઘણા બધા પશુઑના પણ મોત થયા છે। વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા.16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા સરકારી તંત્રે યુદ્ધના ધોરણે અહીં કામગીરી શરુ કરી છે.

વાવાઝોડાનું રાજ્યમાં જે સ્થળોએ સૌથી વધારે સંકટ હતું તેમાં ભાવનગર જિલ્લાનું મહૂવા પણ હતું. મહૂવા શહેરની સાથે સાથે તેના ગામડાઓમાં તૌકતેએ મોટો વિનાશ વેર્યો છે.બીજીબાજુ વાવાઝોડાથી થયેલ તારાજી બાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ એક હાલ લેવલ બેઠક કરી હતી તેમાં સરકારના તમામ વિભાગના અધિકારીઓ પણ હાજર રહયા હતા મુખ્યમંત્રીએ ગઈકાલે રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિની પળેપળની માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી 4 કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં વરસાદની કરાઇ આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે

New Update
varsad

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ મેઘમહેર થશે.

આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.આ સાથે બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો ખેડા, અમદાવાદ, આણંદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવાના વિભાગે કરી છે. આ સાથે સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો અમરેલી, ભાવનગર, મોરબીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. બોટાદ, કચ્છ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.