અમદાવાદ મનપાનું 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

શહેરના 18 તળાવ બ્યુટીફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ શહેરમાં 7 ફ્રૂડ પાર્ડ બનાવવા માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી

New Update
અમદાવાદ મનપાનું 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25 નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર એમ. થેન્નારસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 15.65 કિમી લાંબી ખારીકટ કેનાલનું ડેવલપમેન્ટ કરાશે. તેમજ 1230 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ફેઝ-2 નું કામ કરાશે.

100 કિમીના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિમી રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરાશે. તેમજ 1 હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-3 નું કામ કરાશે. જ્યારે 250 કિમીના રસ્તા રીગ્રેડ કરાશે. જ્યાર 40 કિમીના માઈક્રો રિસરફેસિંગ કરાશે. તેમજ 100 કિમીના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિમી રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે. 135 કરોડના ખર્ચે 5 આઈકોનિક રોડ બનાવાશે.

4 ફૂટ ઓરવબ્રિજ પાછળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના 18 તળાવ બ્યુટીફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ શહેરમાં 7 ફ્રૂડ પાર્ડ બનાવવા માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો જુદી જુદી જગ્યાએ 21 વેજીટેબલ માર્કેટ બનાવવા 21 કરોડની જોગવાઈ છે. આઈકોનિક રોડમાં પાર્કિગ, ગ્રીન બેલ્ટ સાથેનાં વોક-વે બનાવાશે. તેમજ સીટિંગ એરેજમેન્ટ, ઈવી ચાર્જિંગ સ્ટેશન સાથેની સુવિધા રખાશે. તેમજ લો ગાર્ડનની આજુબાજુના રોડ ડેવલપમેન્ટનું 75 કરોડનાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો શહેરમાં પ્રવેશવાના ચારે તરફના રોડ પર 15 કરોડના ખર્ચે એન્ટ્રીગેટ બનાવાશે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

Latest Stories