અમદાવાદ : ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા વેળા ઈઝરાયલી ટેક્નોલોજી ડ્રોનથી રખાશે બાજનજર...

આગામી તા. 7 જુલાઈ અને અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે,

New Update

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી ભવ્ય રથયાત્રામાં ઈઝરાયલી ટેક્નોલોજીના હિલિયમ એરોસ્ટે ડ્રોનથી 5 KM એરિયામાં પોલીસ તંત્ર દ્વારા સુપર સર્વેલન્સકરવામાંઆવશેત્યારે રાજ્યના પોલીસવડા સહિતના તમામ અધિકારીઓ દ્વારા રથયાત્રાને લઈને ખાસ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે.

ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છેત્યારે આગામી તા. 7 જુલાઈ અને અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશેઆ રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં પણ અન્ય રાજ્યો સહિત આસપાસના શહેરો અને ગામોમાંથી હજારો ભક્તો જોડાય છેત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઈઝરાયેલી ટેક્નોલોજીનું હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશેજે 5 કિલોમીટર વિસ્તારને કવર કરશે. જે તે વિસ્તારની તમામ ગતિવિધિને ઝીલી લેશે. જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એક કદમ આગળ રાખશે. રાજ્યના પોલીસવડા સહિતના તમામ અધિકારીઓ દ્વારા ખાસ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદની રથયાત્રા ખૂબ જ મહત્વની રથયાત્રા છેજ્યાં મુખ્યમંત્રી ખુદ પહિન્દ વિધિ કરવા આવે છેઅને ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. આ વખતે રથયાત્રાના આયોજન પૂર્વે જ પોલીસ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવશેજેથી અત્યાધુનિક ટેક્નોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરી શકાય. આ વખતે વિવિધ સ્થળેCCTV કેમેરા તેમજ ડ્રોન અને સ્થાનિક લેવલે કરવામાં આવેલી પોલીસની મિટિંગ્સના કારણે કોમી ભાઈચારાભર્યું વાતાવરણ ઊભું કરવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise