સગીરાના અપહરણના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  આર.એચ.વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર  એમ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા હ્યુમન તથા ટેકનીકલ ઇન્ટેલીજન્સની મદદથી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના સગીરાના અપહરણના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર આરોપી સંતોષ ગોપાલપ્રસાદ જાતે-ગુપ્તાને પાલઘર-મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.