ભરૂચના  વાલિયા તાલુકાના ઉમરગામ પાસે ખેતરમાં પશુઓ માટે બનાવેલ  ઘાસચારામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેતરની રખેવાળી કરતા કનુ વસાવાએ પોલીસ અને ફાયર વિભાગમાં જાણ કરી હતી.
આગને પગલે ઝઘડિયા જી.આઈ.ડી.સી.અને અંકલેશ્વર ડીપીએમસીના બે ફાયર ટેન્ડર સાથે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પરંતુ ફાયર વિભાગના ટેન્ડરો પહોંચે તે પહેલાં જ ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને ફાયર ટેન્ડરો પહોંચે તે પહેલાં જ સમગ્ર ખેતર બળીને ખાક થઈ ગયું હતું.આગ ક્યા કારણોસર લાગી તે જાણી શક્યું નથી