ભરૂચ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના 32 ગામોના ખેડૂતો સાથે બેઠક યોજાય હતી. આ ગામોમાંથી એક્સપ્રેસ વે પસાર થાય છે તે ગામો અને ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના પ્રશ્નો મુદ્દે સુખદ નિરાકરણ લાવવા અને તેમના દરેક પ્રશ્નોના ઉકેલ માટે બાંહેધરી આપી તેમજ તમામ ખેડુતોએ ભાજપાને સમર્થન આપવાનું વચન આપ્યું છે.આ બેઠકમાં ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા,નિપુલ પટેલ, યોગેન્દ્રસિંહ પટેલ, યતિન પટેલ, ધારાસભ્ય ડિ.કે. સ્વામી, રમેશ મિસ્ત્રી અને જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા ઉપસ્થિત રહ્યા હતા