• ભરૂચમાં ટ્રાફિકજામની વિકટ સમસ્યા

  • વરસાદી માહોલ વચ્ચે વાહનચાલકોમો મરો

  • શક્તિનાથ વિસ્તારમાં થાય છે ટ્રાફિકજામ

  • વાહનચાલકોને પડે છે મુશ્કેલી

  • ટ્રાફિક નિયમનની કરવામાં આવી માંગ

ભરૂચના હાર્દ સમા શક્તિનાથ સર્કલ વિસ્તારમાં ટ્રાફિકજામની રોજિંદી સર્જાતી પરિસ્થિતિના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે દિન પ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે ત્યારે શહેરના હાર્દસમા શક્તિનાથ વિસ્તારમાં  ટ્રાફિકજામની રોજિંદી પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.બિસ્માર માર્ગ અને ટ્રાફિકનું કોઈ જ મેનેજમેન્ટ ન હોવાના કારણે શક્તિના સર્કલની ચારે તરફ વાહનોની લાંબી કતાર લાગે છે જેના કારણે વાહન ચાલકોએ કીમતી સમય વેડફવાનો વારો આવે છે.પિક અવર્સમાં તો ચક્કજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પોલીસ પોઇન્ટ હોવા છતાં પણ મોટાભાગના સમયે ટ્રાફિક બ્રિગેડના કોઈપણ પોલીસકર્મી હાજર ન રહેતા આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.