અંકલેશ્વર : સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ કરાયો...

અદ્યતન તબીબી સેવાઓને દર્દીઓને પુરી પાડવા માટે મહા અષ્ટમીના પાવન દિવસે અલાયદું કાર્ડિયાક કેર યુનિટ (CCU ) શરૂ કરવામાં આવ્યું

New Update
અંકલેશ્વર : સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ કરાયો...

સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુવિધામાં વધારો

અલાયદા કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો

હૃદયરોગના દર્દીઓને સંપૂર્ણ સારવાર પુરી પાડવામાં આવશે

અદ્યતન સાધનો સહિત નિષ્ણાંત તબીબોની મળશે સેવા

કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ થતાં હોસ્પિટલ પરિવારને ગર્વ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ખ્યાતનામ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરની ખ્યાતનામ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદય રોગના દર્દીઓની સંભાળ વધારવા અને અદ્યતન તબીબી સેવાઓને દર્દીઓને પુરી પાડવા માટે મહા અષ્ટમીના પાવન દિવસે અલાયદું કાર્ડિયાક કેર યુનિટ (CCU ) શરૂ કરવામાં આવ્યું છે.

આ યુનિટમાં હૃદયરોગના દર્દીઓને સંપૂર્ણ સારવાર પુરી પાડવાના તમામ અદ્યતન સાધનો સાથે નિષ્ણાંત તબીબોની ટીમ તેમજ અનુભવી નર્સિંગ સ્ટાફ તેમની સેવાઓ આપશે. 6 વિશિષ્ટ કાર્ડિયાક બેડ ધરાવતા આ યુનિટમાં વેન્ટિલેટર્સ, પેરામોનીટોર્સ, કૃત્રિમ હૃદય વિગેરે જેવા નવીનતમ સાધનો ઉપલબ્ધ છે.

આ પ્રસંગે સરદાર પટેલ હોસ્પિટલના હૃદયરોગના નિષ્ણાંત ડો. જયવીરસિંહ અટોદરિયાએ નવા શરૂ કરાયેલા કાર્ડિયાક કેર યુનિટ થકી હૃદયરોગના તમામ દર્દીઓને વિશ્વકક્ષાની સારવાર મળી રહેવાની લાગણી પ્રગટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આયુષ્માન યોજનાના લાભાર્થીઓને હૃદય રોગની સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.
Latest Stories