અંકલેશ્વર : અંદાડા નજીક ખેતરમાંથી 52 નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલિકની અટકાયત, રૂ. 3.96 લાખનો મુદ્દામાલ જપ્ત

સ્થળ પરથી 52 નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા,

New Update
અંકલેશ્વર : અંદાડા નજીક ખેતરમાંથી 52 નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલિકની અટકાયત, રૂ. 3.96 લાખનો મુદ્દામાલ જપ્ત

"નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન" હેઠળ ભરૂચ SOG પોલીસનો કાફલો અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ખેતરમાં એક ઈસમ વગર પરવાનગીએ ગેરકાયદેસર ગાંજાનો છોડ વાવી ઉછેર કરે છે, ત્યારે પોલીસે બાતમીવાળા સ્થળે દરોડા પાડી તપાસ કરતાં સ્થળ પરથી 52 નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા, ત્યારે ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરનાર ખેતર માલિકની પોલીસે અટકાયત કરી હતી.

આ સાથે જ પોલીસે 52 નંગ ગાંજાના છોડ જેનો વજન આશરે 39 કિલો 650 ગ્રામ જેની કિંમત રૂપિયા 3.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.