અંકલેશ્વર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનોની અનોખી પહેલ, છોડનું કરાયું વિતરણ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં “વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો”ના સંકલ્પ સાથે વિવિધ સ્થળે જનજાગૃતિના કાર્યકમો યોજાય રહ્યા છે

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આજરોજ તા. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા લોકોને વિનામુલ્યે લીમડાના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વૃક્ષ વાવોપર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે વિવિધ સ્થળે જનજાગૃતિના કાર્યકમો યોજાય રહ્યા છેત્યારે અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા 700થી વધુ લીમડાના છોડનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષ વાવી તેનો વૃક્ષનો ઉછેર કરવા માટેનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : લિંક રોડ સ્થિત સંકટમોચન હનુમાનજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, સિક્યુરિટીની સજાગતાના પગલે તસ્કરો ફરાર...

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો

New Update
Sankatmochan Hanumanji temple

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. મળતી માહિતી મુજબભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકશો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતોત્યારે નજીકની એચડીએફસી બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો ભયભીત થઈ ગયા હતાઅને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ રાખી દીધા હતા.

આ સાથે જ લાવેલા હથિયાર કુવાડીહથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મુકી નાસી છૂટ્યા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ તાત્કાલિક રીતે ભરૂચ એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેલગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતીત્યારે હાલ પોલીસ દ્વારા પેટ્રોલીંગની કામગીરીમાં વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.