અંકલેશ્વર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનોની અનોખી પહેલ, છોડનું કરાયું વિતરણ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં “વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો”ના સંકલ્પ સાથે વિવિધ સ્થળે જનજાગૃતિના કાર્યકમો યોજાય રહ્યા છે

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આજરોજ તા. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા લોકોને વિનામુલ્યે લીમડાના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વૃક્ષ વાવોપર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે વિવિધ સ્થળે જનજાગૃતિના કાર્યકમો યોજાય રહ્યા છેત્યારે અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા 700થી વધુ લીમડાના છોડનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષ વાવી તેનો વૃક્ષનો ઉછેર કરવા માટેનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.