ભરૂચ : ચિત્ર કલાકાર જશવંત નથ્થુકારાવાલાની 75 વર્ષની કળાયાત્રા, રોટરી ક્લબ ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયું...

8મા વૈયક્તિક ચિત્ર પ્રદર્શન તથા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
ભરૂચ : ચિત્ર કલાકાર જશવંત નથ્થુકારાવાલાની 75 વર્ષની કળાયાત્રા, રોટરી ક્લબ ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયું...

મૂળ ભરૂચના અને 35 વર્ષ પૂર્વે સુરતમાં ચિત્ર શિક્ષક તરીકે સ્થાઈ થયેલા કલાકાર જશવંત નથ્થુકારાવાલાની 75 વર્ષની કળાયાત્રાની ઉજવણી નિમિત્તે ભરૂચના રોટરી ક્લબ ખાતે તા. 25 અને 26 મે દરમ્યાન 8મા વૈયક્તિક ચિત્ર પ્રદર્શન તથા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલાકાર જશવંત નથ્થુકારાવાલાએ તેઓની કળાયાત્રા વર્ણવવા સાથે ભરૂચ પ્રત્યેનો લગાવ હોવાનું પણ જણાવ્યુ હતું, ત્યારે ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નર્મદા બ્રિક્સના માલિક રમેશ મોદી સહિત અન્ય અગ્રણીઓ અને કલારસિકોએ ઉપસ્થિત રહી તેઓની કળાને બિરદાવી હતી.

Latest Stories