ભરૂચ: વડદલા ગામમાં બે મકાનોમાં ચોરીનો પ્રયાસ, તસ્કરો CCTV કેમેરામાં કેદ,જુઓ વિડીયો

New Update
ભરૂચ: વડદલા ગામમાં બે મકાનોમાં ચોરીનો પ્રયાસ, તસ્કરો CCTV કેમેરામાં કેદ,જુઓ વિડીયો

ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લે આમ ફરી રહ્યા છે.જીહા વાત કરીએ ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા વડદલા ગામમાં 14 મી તારીખે વહેલી સવારે લગભગ 3 થી 5 ના સમયગાળામાં એક ઈકો કાર લઈને તસ્કરો ત્રાટકયા હતા.જેમાં આ તસ્કરો આખાય ગામમાં ઈકો લઈને ફરીને રેકી કરી હતી.જેમાં ગામના એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.પરંતુ તસ્કરોને તેમાંથી ખાલી હાથ બહાર આવવું પડ્યું હતું.આ પછી તસ્કરોએ ગામના બીજા એક મકાનને નિશાન બનાવવા પહોચ્યા હતા.

પરતું કોઈ બાઈક સવાર ત્યાં આવી જતાં તેઓ ઈકોકાર લઈને ભાગી ગયા હતા.આ ઘટનાની જાણ સવારના રોજ ગ્રામજનોમાં થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.તસ્કરોની ગામમાં ફરવાની તમામ હરકતો ગામમાં રહેલા સીસીટીવી કેમેરા કેદ થઈ ગઈ હતી.આ મામલે કોઈ પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ પણ ગ્રામજનોએ સી ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે, આ તસ્કરો જે ઇકોકાર લઈને આવ્યા હતા તે કરગટ ગામમાંથી ચોરી કરીને લાવ્યા હોય પાછા ગામના નાકે મૂકીને પલાયન થઈ હતા.ત્યારે હાલમાં તો ગ્રામજનોએ રાત્રીના કડક પોલીસ પેટ્રોલિંગની માગ કરી છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories