ભરૂચ: વાગરા ભેરસમ ગામનાં તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો, ગણેશ વિસર્જન દરમિયાન યુવક ડૂબ્યો હોવાની આશંકા

New Update
ભરૂચ: વાગરા ભેરસમ ગામનાં તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો, ગણેશ વિસર્જન દરમિયાન યુવક ડૂબ્યો હોવાની આશંકા

વાગરા તાલુકાના ભેરસમ ગામમાં રહેતા ચંદુભાઈ ભારમલ ભાઈ વસાવા રહે. નવીનગરી, ગામ ભેરસમનાઓ દ્વારા ગણપતિ વિસર્જનમાં ગયેલ પુત્ર મહેશ ચંદુભાઈ વસાવા ઘરે પરત નહીં આવતા લાપતા બન્યો હોવા અંગે ગત તારીખ ૨૯/૦૯/૨૦૨૩ ના રોજ વાગરા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવાઈ હતી.

વાગરા પોલીસે શોધખોળ હાથ ધરતા યુવકનો મૃતદેહ ભેરસમ ગામનાં તળાવમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોર્સ્ટમોટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગણપતિ વિસર્જન વેળા તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.