ભરૂચ : નવજીવન ન્યુઝના ડિરેક્ટર અને નિડર પત્રકાર પ્રશાંત દયાળનો પત્રકારો સાથે સંવાદ યોજાયો...

પત્રકારો દ્વારા પ્રશાંત દયાળ સાથે પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી.

ભરૂચ : નવજીવન ન્યુઝના ડિરેક્ટર અને નિડર પત્રકાર પ્રશાંત દયાળનો પત્રકારો સાથે સંવાદ યોજાયો...
New Update

ભરૂચ શહેરના ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારા દ્વારા નવજીવન ન્યુઝના ડિરેક્ટર પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદ કાર્યક્રમમાં પત્રકારો, સ્થાનિક આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પત્રકારત્વ અને સામાજિક જીવન શૈલી અંગે પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા તેઓના આગવા અંદાજમાં વક્તવ્ય આપવા સાથે તેઓએ પોતાના પત્રકારત્વના અનુભવોને વર્ણવ્યા હતા.

આ સાથે જ પત્રકારો દ્વારા પ્રશાંત દયાળ સાથે પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો સહિત કાર્યકારી પ્રમુખ દિનેશ અડવાણી, અંક્લેશ્વર પત્રકાર સંઘના સભ્યો સહિત જિલ્લાના પત્રકારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ખેડૂતોએ ઉપસ્થિત રહી વક્તવ્યને માણ્યું હતું.

Here are a few more articles:
Read the Next Article