ભરૂચ: સહકાર ભારતીના જિલ્લા કાર્યાલય અને સહકાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
સહકાર ભારતીના વરિષ્ઠ અધિકારીઓ તથા સહકારીતાના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભરૂચમાં સહકાર ભારતીના જિલ્લા કાર્યાલય અને સહકાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકના હોલ ખાતે સહકાર ભારતી ભરૂચના “ જિલ્લા કાર્યાલય" તથા સહકાર ભારતી પ્રેરિત “સહકાર સેવા કેન્દ્ર'નો ઉદ્ઘાટન સમારોહ તેમજ યોજાયો હતો.પ્રશિક્ષણ વર્ગ''નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મંત્રી જ્યોતીન્દ્ર મહેતા, સહકાર ભારતીના સંગઠન મંત્રી સંજય પાંચપોરજી,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા સહિત અન્ય સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા...
સાથે સાથે વૃધ્ધિ અને સમૃધ્ધિના મંત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય બિન રાજકીય સહકારી સંગઠન,સહકાર ભારતી જન જનની સમૃધ્ધિના અવિરત પ્રયાસ કરી રહી છે.જેના કાર્યવાહકો અને સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ પ્રશિક્ષિત થાય તે હેતુ માટે "પ્રશિક્ષણ વર્ગ''નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સહકાર ભારતીના વરિષ્ઠ અધિકારીઓ તથા સહકારીતાના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું...