ભરૂચ : શુક્લતીર્થમાં “તીર્થોત્સવ”ની કરાશે ભવ્ય ઉજવણી, ગુજરાતના લોકપ્રિય ગાયકો કરશે લોકડાયરા

New Update
ભરૂચ : શુક્લતીર્થમાં “તીર્થોત્સવ”ની કરાશે ભવ્ય ઉજવણી, ગુજરાતના લોકપ્રિય ગાયકો કરશે લોકડાયરા

શુક્લતીર્થમાં 2 દિવસીય તીર્થોત્સવની કરાશે ઉજવણી

તીર્થોત્સવની તૈયારીને તંત્ર દ્વારા અપાયો આખરી ઓપ

ગુજરાતના લોકપ્રિય ગાયકો દ્વારા કરાશે લોકડાયરા

ભરૂચ તાલુકામાં પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં શુક્લતીર્થ ગામમાં તા. 25 અને 26 ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી તીર્થોત્સવની ઉજવણી કરવામાં આવશે. શુક્લતીર્થ ખાતે દર વર્ષે કારતકી પૂર્ણિમાનો મોટો મેળો ભરાય છે, જ્યાં ઓમનાથ વિષ્ણુ ભગવાનનું સુપ્રસિધ્ધ મંદિર પણ આવેલું છે. અહીં બિરાજમાન ભગવાન વિષ્ણુની પ્રતિમા શ્વેત રંગની રેતીમાંથી નિર્માણ પામી છે. તથા સ્વયંભૂ હોવાથી તેનું માહાત્મ્ય વધુ બેવડાય છે. અહી ભગવાનના 3 અવસ્થાના દર્શન થાય છે.

શુક્લતીર્થની ખ્યાતિ વધારવા તથા વધુમાં વધુ લોકો પ્રવાસન સ્થળની મુલાકાતે આવે તે માટે દર વર્ષે શુક્લતીર્થ ગામે 2 દિવસીય તીર્થોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આ તીર્થોત્સવમાં ગુજરાતના લોકપ્રિય ગાયક ગીતા રબારી અને કમલેશ બારોટના લોકડાયરાનું પણ આયોજન કરાયું છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લાની જનતા તીર્થોત્સવમાં સહભાગી થઈ આનંદ માણે તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.


Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.