ભરૂચ : શુક્લતીર્થમાં “તીર્થોત્સવ”ની કરાશે ભવ્ય ઉજવણી, ગુજરાતના લોકપ્રિય ગાયકો કરશે લોકડાયરા

New Update
ભરૂચ : શુક્લતીર્થમાં “તીર્થોત્સવ”ની કરાશે ભવ્ય ઉજવણી, ગુજરાતના લોકપ્રિય ગાયકો કરશે લોકડાયરા

શુક્લતીર્થમાં 2 દિવસીય તીર્થોત્સવની કરાશે ઉજવણી

Advertisment

તીર્થોત્સવની તૈયારીને તંત્ર દ્વારા અપાયો આખરી ઓપ

ગુજરાતના લોકપ્રિય ગાયકો દ્વારા કરાશે લોકડાયરા

ભરૂચ તાલુકામાં પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં શુક્લતીર્થ ગામમાં તા. 25 અને 26 ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી તીર્થોત્સવની ઉજવણી કરવામાં આવશે. શુક્લતીર્થ ખાતે દર વર્ષે કારતકી પૂર્ણિમાનો મોટો મેળો ભરાય છે, જ્યાં ઓમનાથ વિષ્ણુ ભગવાનનું સુપ્રસિધ્ધ મંદિર પણ આવેલું છે. અહીં બિરાજમાન ભગવાન વિષ્ણુની પ્રતિમા શ્વેત રંગની રેતીમાંથી નિર્માણ પામી છે. તથા સ્વયંભૂ હોવાથી તેનું માહાત્મ્ય વધુ બેવડાય છે. અહી ભગવાનના 3 અવસ્થાના દર્શન થાય છે.

શુક્લતીર્થની ખ્યાતિ વધારવા તથા વધુમાં વધુ લોકો પ્રવાસન સ્થળની મુલાકાતે આવે તે માટે દર વર્ષે શુક્લતીર્થ ગામે 2 દિવસીય તીર્થોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આ તીર્થોત્સવમાં ગુજરાતના લોકપ્રિય ગાયક ગીતા રબારી અને કમલેશ બારોટના લોકડાયરાનું પણ આયોજન કરાયું છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લાની જનતા તીર્થોત્સવમાં સહભાગી થઈ આનંદ માણે તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.


Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment
Latest Stories