ભરૂચ : શુક્લતીર્થમાં “તીર્થોત્સવ”ની કરાશે ભવ્ય ઉજવણી, ગુજરાતના લોકપ્રિય ગાયકો કરશે લોકડાયરા

New Update
ભરૂચ : શુક્લતીર્થમાં “તીર્થોત્સવ”ની કરાશે ભવ્ય ઉજવણી, ગુજરાતના લોકપ્રિય ગાયકો કરશે લોકડાયરા

શુક્લતીર્થમાં 2 દિવસીય તીર્થોત્સવની કરાશે ઉજવણી

તીર્થોત્સવની તૈયારીને તંત્ર દ્વારા અપાયો આખરી ઓપ

ગુજરાતના લોકપ્રિય ગાયકો દ્વારા કરાશે લોકડાયરા

ભરૂચ તાલુકામાં પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં શુક્લતીર્થ ગામમાં તા. 25 અને 26 ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી તીર્થોત્સવની ઉજવણી કરવામાં આવશે. શુક્લતીર્થ ખાતે દર વર્ષે કારતકી પૂર્ણિમાનો મોટો મેળો ભરાય છે, જ્યાં ઓમનાથ વિષ્ણુ ભગવાનનું સુપ્રસિધ્ધ મંદિર પણ આવેલું છે. અહીં બિરાજમાન ભગવાન વિષ્ણુની પ્રતિમા શ્વેત રંગની રેતીમાંથી નિર્માણ પામી છે. તથા સ્વયંભૂ હોવાથી તેનું માહાત્મ્ય વધુ બેવડાય છે. અહી ભગવાનના 3 અવસ્થાના દર્શન થાય છે.

શુક્લતીર્થની ખ્યાતિ વધારવા તથા વધુમાં વધુ લોકો પ્રવાસન સ્થળની મુલાકાતે આવે તે માટે દર વર્ષે શુક્લતીર્થ ગામે 2 દિવસીય તીર્થોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આ તીર્થોત્સવમાં ગુજરાતના લોકપ્રિય ગાયક ગીતા રબારી અને કમલેશ બારોટના લોકડાયરાનું પણ આયોજન કરાયું છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લાની જનતા તીર્થોત્સવમાં સહભાગી થઈ આનંદ માણે તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.


Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories