ભરૂચ: વિશ્વશાંતિ મહાકાળી મંદિર ઓસારા મંદિરે ભક્તોની ભીડ, ભક્તિમાં લીન બન્યા શ્રદ્ધાળુઓ
ભરૂચના ઓસારા ખાતે આવેલું છે મંદિર
વિશ્વશાંતિ મહાકાળી મંદિરનો અનેરો મહિમા
ચૈત્રી નવરાત્રીમાં ઉમટે છે ભક્તોની ભીડ
પાવાગઢ મંદિર જેટલુ જ છે મહત્વ
ભક્તો પગપાળા પહોંચે છે દર્શન કરવા
ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારામાં ચૈત્ર નવરાત્રીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે
ભરૂચ જિલ્લામાં ઓસારા ગામ ખાતે વિશ્વ શાંતિ મહાકાળી માતાનું મંદિર આવેલું છે.આ મંદિર કહેવાય છે કે પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે.અહીંયા રૂપિયા પૈસાને નહીં પરંતુ તપને મહત્વ આપવામાં આવે છે.આ મંદિર માત્ર મંગળવારના દિવસે જ ભકતો માટે ખુલે છે. જ્યાં ભક્તો માતાજીના દર્શન માટે દૂર દુરથી અહિયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે.ભકતોને અહીંયા અતૂટ શ્રદ્ધા ધરાવે છે માં મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.જેમાં ભકતોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.