ભાવનગર : ગારીયાધારના મેસણકામાં સોલાર પેનલ ભરેલા એક મકાનમાં લાગી ભીષણ આગ, 3 કરોડની નુકશાનીનો અંદાજ
BY Connect Gujarat Desk19 April 2023 10:24 AM GMT
X
Connect Gujarat Desk19 April 2023 10:24 AM GMT
ભાવનગરના ગારીયાધાર તાલુકાના મેસણકા ગામે સોલાર પેનલ ભરેલા એક મકાનમાં અચાનક જ ભીષણ આગ હતી હતી. કોઈ અગમ્ય કારણોસર સોલાર પ્લેટ ભરેલા બંધ મકાનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગની જાણ ફાયર વિભાગને થતાં ગારીયાધાર, પાલીતાણા, સિહોર, સાવરકુંડલાના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત હાથ ધરવામાં આવી હતી.
ત્યારે આગમાં અંદાજીત 3 કરોડની વધુની નુકશાનીનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે. આગની ઘટનાના પગલે પાલીતાણા મામલતદાર,ગારીયાધાર નાયબ મામલતદાર સહિત અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.
Next Story