ભરુચ જિલ્લાની 5 બેઠકના ઉમેદવારોની પસંદગી માટે કૉંગ્રેસની કવાયત..

New Update
ભરુચ જિલ્લાની 5 બેઠકના ઉમેદવારોની પસંદગી માટે કૉંગ્રેસની કવાયત..

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની તૈયારી

વિધાનસભા બેઠકના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાય

કોંગ્રેસ સમિતિ દક્ષીણ ઝોનના નીરીક્ષક કે. સંદીપની ઉપસ્થિતિ

આગામી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જંગની તૈયારીઓ તમામ રાજકીય પક્ષોએ વેગીલી બનાવી છે, ત્યારે કૉંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી માટે મંથન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર સરકીટ હાઉસ ખાતે ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સમિતિ દક્ષીણ ઝોનના નીરીક્ષક કે. સંદીપની ઉપસ્થિતિમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના પગલે જિલ્લાની 5 બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોનો જમાવડો સર્કિટ હાઉસ ખાતે જોવા મળતો હતો. જેઓને એક બાદ એક સાંભળવામાં આવ્યા હતા. જોકે, ભરૂચ જિલ્લાની 5 બેઠક માટે આશરે 100 જેટલાં કોંગીજનોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હોવાનું જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું.

જોકે, ભરૂચ જિલ્લા વિધાનસભાની 5 બેઠક પૈકી જંબુસર બેઠક કોંગ્રેસ પાસે છે, ત્યારે તે બેઠકને જાળવવા સાથે અન્ય બેઠકો પર પણ વિજયી થવા કોંગ્રેસે કમર કસી છે. તો ચૂંટણી જંગમાં ઉતરવા થનગનતા કોંગી અગ્રણીઓની સંખ્યા જોતા તેમાંથી યોગ્ય ઉમેદવાર પસંદ કરવાનું કામ કોંગ્રેસના મોવડી મંડળ માટે પડકારજનક જણાઈ રહ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે
Latest Stories