ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો

ભરૂચ બેઠક પરમાં 13 ઉમેદવારોના ભાવી મતદાન બાદ ઈવીએમમાં સીલ થયા હતાં.

New Update
ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો

ભરુચ લોકસભા બેઠક માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં મોડી રાત્રિ સુધી રિસિવિંગ સેન્ટર પર EVM આવતા ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. ભરૂચ બેઠક પરમાં 13 ઉમેદવારોના ભાવી મતદાન બાદ ઈવીએમમાં સીલ થયા હતાં.ભરૂચ બેઠક પરમાં 13 ઉમેદવારોના ભાવી મતદાન બાદ ઈવીએમમાં સીલ થયા હતાં.

જિલ્લામાં 1893 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સાંજે છ વાગે પૂર્ણ થયા બાદ બીએલઓ દ્વારા જરૂરી તમામ પ્રક્રિયા સંપન્ન કરી મતદાન કેન્દ્ર પરથી આ તમામ ઇવીએમ જિલ્લા ક્લેક્ટર ના માર્ગદર્શન હેઠળ ભરૂચની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે લાવી ઉમેદવારો ના એજન્ટો ની ઉપસ્થિતિ મા સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતાં. જિલ્લા કલેકટર તુષાર સમેરાએ ચૂંટણી પ્રક્રીયાનો ચિતાર આપી મતદાન 68 ટકાથી વધુ થયું હોવાનું પ્રાથમિક અહેવાલ હોવાનું જણાવી સ્ટાફની સંભાળ અને તાલીમ તેમજ મતદારોની સુવિધા સાથે મતદાન માટે આકર્ષવાના પ્રયાસો સફળ રહ્યાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો.

હવે 4 જૂને મતગણતરી હાથ ધરાશે ત્યારે સ્ટ્રોંગ રૂમ માંથી ઇવીએમ બહાર આવશે. હાલ તો ઉમેદવારો મતદાનની ટકાવારીને લઈ જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે 4 જૂન ના રોજ પરિણામ જાહેર થતાં ખબર પડશે કે કોના દાવામાં કેટલો દમ છે. ભરૂચના મતદારોએ પોતાનો ફેંસલો મતદાન થકી આપી દીધો છે.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.