આદિવાસી દીકરી બની ડે.કલેક્ટર ..! અંકલેશ્વર: જીતાલી ગામની આદિવાસી દિકરી GPSCની પરીક્ષામાં ઝળકી, ડેપ્યુટી કલેક્ટર તરીકે સંભાળશે ચાર્જ

જીતાલી ગામની આદિવાસી દીકરી જી.પી.એસ.સીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળકી ડેપ્યુટી કલેક્ટર બનતા પરિવારજનોમાં ખુશીનો માહોલ

New Update
આદિવાસી દીકરી બની ડે.કલેક્ટર ..! અંકલેશ્વર: જીતાલી ગામની આદિવાસી દિકરી GPSCની પરીક્ષામાં ઝળકી, ડેપ્યુટી કલેક્ટર તરીકે સંભાળશે ચાર્જ

અંકલેશ્વરની દીકરી બની ડે.કલેક્ટર

આદિવાસી દીકરીએ મહેનત થકી મુકામ હાંસલ કર્યો

ગ્રામજનો દ્વારા દીકરીનું કરવામાં આવ્યુ સન્માન

અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામની આદિવાસી દીકરી જી.પી.એસ.સીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળકી ડેપ્યુટી કલેક્ટર બનતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મૂળ સંતરામપુર અને હાલ અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામમાં રહેતા ભરતભાઈ રાઠોડ અશિક્ષિત છે જ્યારે તેઓના પત્ની ધોરણ-4 સુધી જ અભ્યાસ કર્યો છે.ગરીબ પરિવારે પોતાની લડક્વાઇ દીકરી ઉર્મિલા રાઠોડ શિક્ષિત બને તે માટે તેણીને સપોર્ટ કર્યો હતો

જીતાલી ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ધોરણ-8થી 10 સુધીનો અભ્યાસ પણ ગામની જ શાળામાં લીધો છે.જે બાદ અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં ધોરણ-11 અને 12માં ટ્યુશન વિના જ શિક્ષણ મેળવ્યું હતું.જ્યારે કડકિયા કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.

આટલેથી પણ નહીં અટકતા ઉર્મિલા રાઠોડએ જી.પી.એસ.સીની સ્પર્ધાત્મક પરીક્ષામાં કાઠું કાઢ્યું હતું.જેની તેમાં સફળ થતાં ઉર્મીલાનો મામલતદાર તરીકેનો ઓર્ડર જન્મ સ્થળ સંતરામપુર ખાતે ગયો હતો જ્યાંથી સંબંધીઓએ નિમણૂંક પત્ર જીતાલી સ્થીત ઊર્મિલાબેન રાઠોડ સુધી ન પહોંચતા તેઓ નોકરીથી વંચિત રહી ગયા હતા જે બાદ તેણીએ વધુ મહેનત કરી જી.પી.એસ.સીની પરીક્ષા પાસ કરતાં ફળ સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામ્યા અને તેઓને વડોદરાના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર નિમણૂંક થતાં આદિવાસી પરિવારમાં ખુશનો માહોલ જોવા મળ્યો હતો.

ઉર્મિલા રાઠોડ આગામી 19મી ડિસેમ્બર ના રોજ ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે ત્યારે પરિવારજનો અને ગામના આગેવાનોએ દીકરીને ફૂલહારથી કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: સ્વરછતા સર્વેક્ષણમાં નગર સેવા સદનની મોટી છલાંગ, 63 પરથી 13મો ક્રમ હાંસલ કર્યો

દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો

New Update
  • સ્વરછતા સર્વેક્ષણના પરિણામ જાહેર

  • અંકલેશ્વર નગર સેવા સદનનો સારો દેખાવ

  • સમગ્ર દેશમાં 13મો ક્રમ હાંસલ કર્યો

  • ગતવર્ષે 63માં ક્રમે રહી હતી

  • વિવિધ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરાય

દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં અંકલેશ્વર નગર સેવાસદનનું સારું પ્રદર્શન જોવા મળ્યું છે ગત વર્ષે તેને 63માં ક્રમે રહેલી નગરપાલિકાએ આ વર્ષે સમગ્ર રાજ્યમાં 13મો ક્રમ હાંસલ કર્યો છે.
દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો છે. ગત વર્ષે અંકલેશ્વર નગર સેવાસદનનો સમગ્ર રાજ્યમાં 63 મો ક્રમ હતો જોકે તેમાં સુધારો થઈને આ વખતે 13 મો ક્રમ પ્રાપ્ત થયો છે.અંકલેશ્વર નગર સેવા સદનને ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્ટાર મેળવ્યો છે.સ્વચ્છતા સર્વેક્ષણમાં અંક્લેશ્વરને 12,500માંથી 9,792 ગુણ પ્રાપ્ત થયાં છે.
દક્ષિણ ગુજરાતમાં 3 ગાર્બેજ ફ્રી સીટી પૈકી અંકલેશ્વરનો પણ સમાવેશ થયો છે.ભીના અને સુકા કચરાના નિકાલના મામલે પણ અંકલેશ્વર નગર સેવા સદનને 45 ટકા ગુણ મળ્યા છે.આ અંગે અંકલેશ્વર નગરના પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યું હતું કે નગરપાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના વિવિધ માપદંડો સુધી પહોંચવા માટે સમયાંતરે  જનજાગૃતિ કાર્યક્રમો સાથે ટેક્નિકલ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ડોર ટુ ડોર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, જાહેરમાર્ગો પર સફાઈ અને સ્વરછતા અંગે લોકોની પણ સહભાગીતાના કારણે આટલી સફળતા પ્રાપ્ત થઈ છે.